બાંગ્લાદેશની એક ફેકટરીમાં આગ લાગી, 49નાં મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images
બાંગ્લાદેશના રૂપગંજમાં એક ફેકટરીમાં આગ લાગવાને કારણે ઓછામાં ઓછા 49 લોકોનાં મૃત્યુ થઈ ગયાં છે. બાંગ્લાદેશની ફાયર સર્વિસે આ જાણકારી આપી છે.
ગુરુવારે સાંજે રૂપગંજની એક ફૂડ ઍન્ડ બેવરેજ ફેકટરીની ઇમારતમાં આગ લાગી હતી.
ફાયર સર્વિસના ડેપ્યુટી ડિરેક્ટર દેવાશિષ વર્ધને બીબીસીને જણાવ્યું કે, "ઓછામાં ઓછા 49 મૃતદેહ મળી આવ્યા છે."

ઇમેજ સ્રોત, Getty Images
તેમણે જણાવ્યું કે રાહત અને બચાવ માટેનું કાર્ય ચાલુ છે.
દેવાશિષ વર્ધને જણાવ્યું કે મૃત્ય પામનારાની સંખ્યા વધી શકે છે.
રૂપગંજ પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ બીબીસીને જણાવ્યું કે ફેકટરીમાં કામ કરનારા લોકોના પરિવારજનો મોટી સંખ્યામાં સ્થળ પર એકઠા થયા છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છે




























