પાકિસ્તાની આર્મી ચીફ મુનીરની હાજરીમાં ઈરાનના રાષ્ટ્રપતિએ કહ્યું, 'દબાણ અને ધમકી દ્વારા...' – ન્યૂઝ અપડેટ

પાકિસ્તાની આર્મી ચીફ મુનીરની હાજરીમાં ઈરાનના રાષ્ટ્રપતિએ કહ્યું, 'દબાણ અને ધમકી દ્વારા...' – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Iranian Presidency/Anadolu via Getty Image

ઇમેજ કૅપ્શન, ઈરાનના રાષ્ટ્રપતિએ મધ્યસ્થતા માટે પાકિસ્તાનનો આભાર માન્યો
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને સોમવારે સાંજે પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ આસિમ મુનીર સાથે મુલાકાત કરી.

આ દરમિયાન તેમણે અમેરિકાને ઈરાન પ્રત્યે પોતાની ભાષા અને વલણ બદલવાની અપીલ કરી.

પેઝેશ્કિયાને જણાવ્યું કે દબાણ અને ધમકીના આધારે આગળ વધવાથી સમજૂતીઓના અમલીકરણની પ્રક્રિયા વધુ જટિલ બનશે.

ઈરાનની સરકારી સમાચાર એજન્સી આઈઆરએનએ મુજબ, તેમણે કહ્યું કે અમેરિકાએ 'કાયદા અને આંતરરાષ્ટ્રીય ધોરણો'ના આધારે ઈરાન પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાઓ અને ઇસ્લામાબાદ એમઓયુનું પાલન કરવું જોઈએ.

ઈરાનના રાષ્ટ્રપતિએ મધ્યસ્થતા માટે પાકિસ્તાનનો આભાર વ્યક્ત કર્યો.

તેમણે આશા વ્યક્ત કરી કે બંને દેશો વચ્ચે સતત સહયોગથી ઇસ્લામાબાદ એમઓયુના હેતુઓ હાંસલ કરવામાં મદદ મળશે.

આ એમઓયુ જૂનમાં પાકિસ્તાનની મધ્યસ્થતા હેઠળ ઈરાન અને અમેરિકા વચ્ચે થયા હતા.

ઉલ્લેખનીય છે કે સોમવારે જનરલ આસિમ મુનીર સાથેની અલગ-અલગ બેઠકોમાં ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બગર ગાલિબાફ અને સુપ્રીમ નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલના સચિવ મોહસિન રેઝાઈએ પણ આગ્રહ રાખ્યો કે અમેરિકા સમજૂતીનું પાલન કરે.

હોર્મુઝ સામુદ્રધુનીમાં ઑઇલ ટૅન્કર પર અજ્ઞાત પ્રોજેક્ટાઇલથી હુમલો

ઈરાન, હોર્મુઝ સામુદ્રધુની, હોર્મુઝ જળમાર્ગ મધ્યપૂર્વ યુદ્ધ અમેરિકા ટ્રમ્પ ખામેનેઈ સેના ડ્રૉન મિસાઇલ ટૅન્કર ઑઇલ તેલ પેટ્રોલ ડીઝલ

ઇમેજ સ્રોત, Handout / ROYAL THAI NAVY / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, હુમલા બાદ ટૅન્કરનું ઍન્જિન રૂમ ક્ષતિગ્રસ્ત થયું અને જહાજ અશક્ત બની ગયું (પ્રતીકાત્મક તસવીર)

હોર્મુઝની સામુદ્રધુનીમાં એક ઑઇલ ટૅન્કર પર અજ્ઞાત પ્રોજેક્ટાઇલથી હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.

બ્રિટિશ મેરિટાઇમ ટ્રેડ ઑપરેશન્સ ઑર્ગેનાઇઝેશન (યુકેએમટીઓ) મુજબ, હુમલા બાદ ટૅન્કરનું ઍન્જિન રૂમ ક્ષતિગ્રસ્ત થયું અને જહાજ અશક્ત બની ગયું.

યુકેએમટીઓને ટૅન્કરના કૅપ્ટને ઘટનાની જાણકારી આપી હતી. તેમના જણાવ્યા અનુસાર, આ ઘટના ઓમાનના જળક્ષેત્રમાં અલ-શિશા વિસ્તારથી આશરે 16 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં બની હતી.

સોમવારે સાંજે જાહેર કરાયેલા નિવેદનમાં યુકેએમટીઓએ જણાવ્યું કે ઑઇલ ટૅન્કરના કૅપ્ટને જહાજ અજ્ઞાત પ્રોજેક્ટાઇલની ચપેટમાં આવ્યાની માહિતી આપી હતી. જેના કારણે ઍન્જિન રૂમને નુકસાન પહોંચ્યું અને જહાજની અવરજવર બંધ થઈ ગઈ.

જોકે, જહાજના ક્રૂના તમામ સભ્યો સુરક્ષિત છે અને તેમની સ્થિતિ સામાન્ય હોવાનું જણાવાયું છે.

આ ઘટનાના એક દિવસ પહેલા પણ યુકેએમટીઓએ હોર્મુઝમાં વેપારી જહાજોની અવરજવર અંગે માહિતી આપી હતી.

યુકેએમટીઓ મુજબ, છેલ્લા 48 કલાક દરમિયાન આ સમુદ્રી માર્ગ પર વેપારી જહાજોની અવરજવરમાં ઘટાડો નોંધાયો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન