જંતર-મંતર પર વિદ્યાર્થીઓના પ્રદર્શન પર પ્રીતિ ઝિન્ટાએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Andrew H. Walker/Getty Images
જંતર-મંતરપરચાલીરહેલાવિદ્યાર્થીઓનાંપ્રદર્શનોનેલઈનેઅભિનેત્રીપ્રીતિઝિન્ટાએપ્રતિક્રિયાઆપીછે. તેમણેસવાલ પૂછ્યો છેકેક્યાંકદેશનીઅંદરઅનેબહારનાકેટલાકઅયોગ્યલોકોવિદ્યાર્થીઓનાંગુસ્સાઅનેપરેશાનીઓનોફાયદોઉઠાવવાનોપ્રયત્નતોનથીકરીરહ્યાને?
પ્રીતિ ઝિન્ટાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક પોસ્ટ શૅર કરતા કહ્યું કે વિદ્યાર્થીઓનાં શાંતિપૂર્ણ પ્રદર્શનોનો દેશવિરોધી તત્ત્વો દ્વારા હંગામો ફેલાવવા અથવા તેની દિશા બદલવા માટે ઉપયોગ ન થવો જોઈએ.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "જ્યાં એ જરૂરી છે કે આપણે આપણા વિદ્યાર્થીઓનું સમર્થન કરીએ અને એવા શિક્ષણ સુધારાઓની માંગ કરીએ, જે આપણા યુવાનોના ભવિષ્યને વધુ સારું બનાવે, ત્યાં એ પણ જરૂરી છે કે વિદ્યાર્થીઓનાં શાંતિપૂર્ણ પ્રદર્શનોનો ઍન્ટી-નૅશનલ ઍલિમેન્ટ્સ દ્વારા હંગામો ફેલાવવા અને પ્રદર્શનની દિશા બદલવા માટે ઉપયોગ ન કરવામાં આવે."
અભિનેત્રીએ આગળ કહ્યું, "ઑનલાઇન વધતી નફરત અને વિભાજનકારી વાતાવરણને જોઈને મને ચિંતા થાય છે કે ક્યાંક દેશની અંદર અને બહારના કેટલાક અયોગ્ય લોકો વિદ્યાર્થીઓનાં ગુસ્સા અને પરેશાનીઓનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન તો નથી કરી રહ્યા ને?"
પ્રીતિ ઝિન્ટાએ પોતાની પોસ્ટમાં લખ્યું, "મેં હંમેશાં મહેનત, સમાનતા અને શ્રેષ્ઠ કાર્યમાં વિશ્વાસ રાખ્યો છે અને આ બાબતો સાથે ક્યારેય સમાધાન થવું જોઈએ નહીં. હું આપણાં લોકતંત્ર, કાયદો અને વ્યવસ્થા તથા અમારી સરકારમાં પણ વિશ્વાસ રાખું છું."
તેમણે લખ્યું, "હું દિલથી આશા રાખું છું કે બંને પક્ષો સાર્થક અને સકારાત્મક સંવાદની શરૂઆત કરે અને આ પ્રદર્શન તથા ચર્ચામાંથી તમામ ખોટા ઇરાદાવાળા લોકો અને મુદ્દાઓને દૂર કરે, જેથી આપણા યુવાનો અને આપણા લોકતંત્રનું ભવિષ્ય ઉજ્જવળ બને."
આ પહેલાં પ્રીતિ ઝિન્ટાએ વિદ્યાર્થીઓનું સમર્થન કર્યું હતું. તેમણે પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુકને તેમની ભૂખ હડતાળ સમાપ્ત કરવાની અપીલ કરતા કહ્યું કે તેમની તબિયત પણ આ લડાઈ જેટલી જ મહત્ત્વપૂર્ણ છે.
ઉલ્લેખનીય છે છે કે સોમવારે થયેલા વિરોધ માર્ચ દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગૅસના ગોળા છોડ્યા હતા. ત્યારબાદ ઘણા ફિલ્મના કલાકારોએ વિદ્યાર્થીઓનાં પ્રદર્શનોને પોતાનું સમર્થન જાહેર કર્યું છે.









